PM મોદીની વાતનો કોંગ્રેસે આપ્યો જવાબઃ મલ્લિકાર્જુન ખડગેએ કર્યો વળતો પ્રહાર...
- 03 May, 2024
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઉત્તરપ્રદેશની રાયબરેલી સીટથી ચૂંટણી લડવાની જાહેરાત પછીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે ડરશો અને ભાગશો નહિં. આ અંગે વળતો જવાબ આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓને પૂછો, તેઓ પોતે પણ ભાગીને જ વારાણસી આવ્યા છેને. રાહુલ ગાંધીએ આજે રાયબરેલી સીટ પરથી નામાંકન દાખલ કર્યું છે. આ પહેલા શુક્રવારે સવારે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલીને લઈને સસ્પેન્સ ખત્મ કરતા ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીને રાયબરેલીથી, જ્યારે અમેઠીથી કિશોરી લાલ શર્માને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ભાજપે રાહુલ ગાંધીને અમેઠીની જગ્યાએ રાયબરેલીથી ચૂંટણી લડાવવાના કોંગ્રેસના નિર્ણય પર કટાક્ષ કર્યો છે. પશ્ચિમ બંગાળમાં એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસના શેહજાદા જે અમેઠી હાર્યા પછી વાયનાડ જતા રહ્યાં હતા, તે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ પહેલેથી જ તે મતવિસ્તારમાંથી પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. તેમણે કહ્યું કે અમેઠીમાં ગાંધી પરિવારનું ચૂંટણી મેદાનમાં ન હોવું તે એ બાબતના સંકેત છે કે કોંગ્રેસે સીટ પર મતદાન પહેલા જ પોતાની હાર સ્વીકારી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ